900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા.


 કોઈ વ્યક્તિની ઉંમર 90-100 વર્ષ થઈ જાય તો લોકો તે વ્યક્તિને એક રેકોર્ડ માનતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ 200, 500 નહીં પણ 900 વર્ષથી વધુ જીવે તે વાત તો કોઈને ગળે નહીં ઉતરે જી, હા, આ વાત આશ્ચર્યજનક તો છે જ પરંતુ જે વ્યક્તિની અમે વાત કરીએ છીએ તેમના વિશે એવું કહેવાય છે કે 900 વર્ષથી વધુ જીવ્યા હતા, તેમનું નામ છે દેવરહા બાબા. જો કે તથ્ય કેટલું છે તે તો કહી શકાય નહીં પરંતુ તેમને જોનાર લોકો અને મળનારા લોકોને ચોક્કસ એવું લાગતું કે આ મહાયોગી જરૂર ચમત્કારી પુરુષ છે અને તેમની ઉંમર 200 થી વધુ હશે એટલી વાત તો સાચું માની લેતા. મહાભારતના મહાપુરુષ ભીષ્મની ઉંમર 170 વર્ષથી વધુ હતી કારણ કે તેમને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. પરંતુ દેવરહા બાબા તો તેમનાથી પણ અનેક સદીઓ વધુ જીવિત રહેલા.7_1434780866

દેવરહા બાબાએ હિમાલયમાં અનેક વર્ષો સુધી તપસ્યા કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, તેમના જીવનનું રહસ્ય કોઈ જાણતું ન હતું
દેવરહા બાબા પોતાની શક્તિઓથી અદ્રશ્ય થઈને ગમે ત્યાં ચાલ્યા જતા હતા
દેવરહા બાબા પોતાની ખાલી પાલખમાં હાથ નાખીને વ્યક્તિને પ્રસાદ આપતા હતા
દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

સામાન્ય રીતે એક વ્યક્તિનું જીવન અર્થાત્ તેની ઉંમર કેટલી લાંબી હોય છે?50 વર્ષ ?60 વર્ષ? 70 વર્ષ કે પછી તે શરૂઆતથી જ હૃષ્ટપુષ્ટ રહ્યો હોય તો 100 વર્ષની આસપાસની ઉંમર સુધી પહોંચી જાય છે તો તે દુનિયા સામે મિસાલ બની જાય છે. કારણ કે આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ 100 વર્ષથી વધુ ઉંમરનો થઈ જાય તો તે એક રેકોર્ડ માનવામાં આવે છે. દુનિયાભરમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે તથા તેને વિભિન્ન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. લોકો તેમને લાંબી ઉંમરનું રહસ્ય પૂછે છે તથા વૈજ્ઞાનિકો પણ તેમની ઉપર વિભિન્ન શોધ કરી કરીને તેમના લાંબા જીવનનું રહસ્ય શોધવા લાગી જાય છે કે તેમને આટલું લાંબુ જીવન કેવી રીતે કાઢ્યું છે?

પહેલી વખત એ જાણીને કોઈને વિશ્વાસ નથી થતું પરંતુ લોક પ્રચલિત કથા-કહાનીઓના આધારે આ વાત સામે આવી હતી. ભારતના ઉત્તર પ્રદેશના દેવરિયા જનપદમાં એક યોગી રહેતા હતા જેમનું નામ હતું દેવરહા બાબા, કહેવાય છે કે દેવરહા બાબા એક સિદ્ધ મહાપુરુષ તથા સંત પુરુષ હતા. દુનિયાના ખૂણે-ખૂણાથી મહાન તથા પ્રસિદ્ધ લોકો તેમના દર્શન કરવા આવતા હતા. તેમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક હતી અને લોકોનું તો એવું માનવું હતું કે બાબની પાસે ચમત્કારી શક્તિઓ પણ હતી.

પરંતુ આ બધા તથ્યોથી હટીને જે એક વાત દરેક કોઈના મનમાં આવતી હતી તે હતી સાચે જ બાબાની ઉંમર સાચે જ 900 વર્ષથી વધુ હતી? બાબાની ઉંમરને લઈને લોકોમાં અલગ-અલગ મતભેદ હતા. કેટલાક લોકો તેમનું જીવન 250 વર્ષનું માનતા હતા તો કેટલાકનું કહેવું હતું કે બાબાની ઉંમર 500 વર્ષની હતી.

પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે લોકો કહે છે કે તેમની ઉંમર 900 વર્ષથી વધુ હતી. પરંતુ બાબા કહેતા આવ્યા હતા કે તેમનો જન્મ, તેમનું જીવન આજના લોકોની વચ્ચે પહેલી બનેલું છે. કહે છે કે કોઈ નથી જાણતું કે દેવહરા બાબાનો જન્મ ક્યારે થયો હતો તેમની જન્મ તારીખ, જન્મ સ્થાન તથા તેઓ ક્યારે અને ક્યાંથી આવ્યા તે બધા જ તથ્યો અજ્ઞાત છે. ત્યાં સુધી કે તેમની યોગ્ય ઉંમરનું આંકલન પણ નથી. બસ લોકો એટલું જાણતા હતા કે તેઓ યૂપીના દેવરિયા જિલ્લાના રહેવાસી હતી. અને તેમને પોતાનો છેલ્લો શ્વાસ મંગળવાર 19 જૂન સન્ 1990માં યોગિની એકાદશીના દિવસે થયો હતો. બાબાના સંદર્ભમાં લોકો અલગ-અલગ કહાનીઓ સાંભળે છે, જેમાંથી એક કથા ખૂબ જ દિલચસ્પ છે.

બાબાની લગભગ 10 વર્ષ સુધી સેવા કરનાર માર્કન્ડેય મહારાજના કહેવા પ્રમાણે બાબા નિર્વસ્ત્ર રહેતા હતા. તેઓ ધરતીથી 12 ફૂટ ઉંચે લાકડાથી બનેલ એક બોક્સમાં રહેતા હતા અને માત્ર ત્યારે જ નીચે આવતા હતા જ્યારે તેમને સવારે સ્નાન કરવા જવું હોય.

એવું માનવામાં આવે છે કે બાબએ અનેક વર્ષો હિમાલયમાં સાધના કરી હતી. પરંતુ કેટલા વર્ષ તે કોઈ નથી જાણતું. કારણ કે હિમાલયમાં તેમની ઉપસ્થિતિ અજ્ઞાત હતી. હિમાલયની ગોદમાં જપ-તપ કર્યા પછી જ બાબા ઉત્તર પ્રદેશના દેવરિયા વિસ્તાર તરફ પ્રસ્થાન કર્યું હતું.

અહીં બાબાએ વર્ષો સુધી નિવાસ કર્યો અને પોતાના ધર્મ-કર્મથી લોકોની વચ્ચે પ્રચલિત થયા. દેવરિયામાં બાબા સલેમપુર તાલુકાથી થોડે જ દૂર સરયૂ નદીના કિનારે રહેતા હતા. આ એજ સ્થાન છે જ્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામને ત્યાગીને પાછા વૈકુંઠ ફર્યા હતા.

આ નદીના કિનારે બાબાએ વર્ષો સુધી પોતાનો ડેરો જમાવી રાખ્યો હતો અને આ ક્ષેત્રથી જ બાબાને દેવરહા બાબાના નામ પ્રાપ્ત થયેલું. કહેવાય છે કે બાબા ખૂબ જ મોટા રામભક્ત હતા. તેમના ભક્તોએ હંમેશા તેમના મુખમાંથી રામ નામ સાંભળ્યું હતું.

તેઓ પોતાના ભક્તોને પણ શ્રીરામના જીવન સાથે જોડાયેલા તથ્યો બતાવતા હતા અને તેમને જીવનમાં અપનાવવા માટે પ્રેરિત કરતા હતા. બાબા પોતાના ભક્તોના જીવનના કષ્ટોને ઓછા કરવા માટે શ્રીરામ અને શ્રીકૃષ્ણના મંત્ર આપતા હતા. તેઓ શ્રીરામ તથા શ્રીકૃષ્ણને એક જ માનતા હતા. આ બંને અવતારો સિવાય બાબા ગોસેવામાં પૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.

તેમની માટે જનસેવા તથા ગૌસેવા એક સર્વોપરિ-ધર્મ હતો. તેઓ પોતાની પાસે આવેલ દરેક ભક્તના લોકોની સેવા, ગૌમાતાનું રક્ષણ કરવા તથા ભગવાનની ભક્તિમાં રત રહેવાની પ્રેરણા આપતા હતા. તેઓ હંમેશા માટે લોકોને ગૌહત્યાની વિરુદ્ધમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા હતા.

પ્રયાગરાજમાં ઈ.સ.1989માં મહાકુંભના પાવન પર્વ ઉપર વિશ્વ હિન્દુ પરિષદના મંચ ઉપરથી બાબાએ પોતાનો પાવન સંદેશો આપતા કહ્યું હતું કે- “દિવ્યભૂમી ભારતની સમૃદ્ધિ ગૌરક્ષા, ગૌસેવા વગર શક્ય નથી, ગૌહત્યને કલંકને દૂર કરવું જરૂરી છે”

પરંતુ ઉંમરના સંદર્ભમાં જે પ્રકારે તથ્ય લોકો બતાવે છે કે તે ઘણું આશ્ચર્યજનક છે. લોકો કહે છે કે બાબાની શારીરિક અવસ્થા વર્ષો સુધી જેવી છે તેવી જ રહી હતી. જે કોઈ માણસે તેમને વર્ષો પહેલા જોયા હતા તેવો અનેક વર્ષો પછી જુએ તો પણ એ તો એવા જ દેખાતા હતા, તેમનામાં કોઈ બદલાવ મહેસૂસ થતો ન હતો.

બાબાના દર્શન કરવા આનનાર લોકો તેમને મળીને ઘણા પ્રસન્ન થતા હતા. બાબા હંમેશા થોડે ઊંચે બેસીને જ પોતાના ભકતોને મળતા હતા તથા બધાની વાતને ધ્યાનથી સાંભળતા હતા. લોકો કહે છે કે બાબા પોતાના ભક્તોને મળીને ઘણા ખુશ થતા હતા અને તેમને મનોવાંછીત ફળ પ્રદાન કરતા હતા.

તેમની પોતાના ભક્તોને પ્રસાદ આપવાની રીત પણ ઘણી આશ્ચર્યચકિત કરી દેનારી હતી જેની ઉપર વિશ્વાસ કરી શકવો મુશ્કેલ છે. કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત તેમને પ્રસાદની કામના કરતા હતા તો બાબા તેમના ઊંચા મચાન ઉપર બેસીને જ પોતાના મચાન(પાલખ)ના ખાલી ભાગમાં રાખતા હતા અને તેમના હાથમાં ફળ, મિઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો પોતાના હાથમાં આપમેળે જ આવી જતા હતા.

આ જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું કે ખાલી પડેલા પાલખમાં બાબાનો પ્રસાદ કેવી રીતે આવી જતો હતો. કેટલાક લોકોનું માનવું હતું કે બાબા પોતાની અદ્રશ્ય શક્તિઓની મદદથી ગમે ત્યાં ચાલ્યા જતા હતા તથા પોતાના ભક્તો માટે પ્રસાદ લાવતા હતા. દેવરહા બાબા એ બાબતમાં પણ અનોખા હતા. એ માથે હાથ મૂકવાને બદલે માથે લાત મારીને આશીર્વાદ આપતા હતા.

લોકોનું એવું પણ કહેવું હતું કે બાબાએ વર્ષો સુધી પોતાના સૂક્ષ્મ શરીરમાં રહીને તપસ્યા પણ કરી હતી એટલા માટે તેમની ઉંમરનું યોગ્ય અનુમાન લગાવવું લોકો માટે વધુ મુશ્કેલ હતું. મોટાભાગે લોકો તેમની આટલી લાંબી જિંદગી જોઈને એવું અનુમાન લગાવતા હતા કે તેઓ ખૂબ જ પૌષ્ટિક આહાર લેતા હશે.

પરંતુ એવું બિલકુલ નથી. જનશ્રૃતિઓ પ્રમાણે બાબાએ પોતાના આખા જીવન દરમિયાન કશું જ ખાધુ ન હતું. તેઓ માત્ર દૂધ અને મધ પીને જીવતા હતા. તે સિવાય શ્રીફળનું પાણી પણ તેમને ખૂબ જ પસંદ હતું.

દેવરહા બાબાની ચમત્કારી શક્તિઓથી આકર્ષિત થઈને દેશના અનેક જાણીતા લોકો પણ તેમના દર્શન કરતા આવતા હતા, આ લિસ્ટમાં છે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલૂ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને કમલાપતિ ત્રિપાઠી જેવા રાજનેતાઓના નામ સામેલ છે.

કહેવાય છે કે દેશમાં કટોકટિ પછી થયેલી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધી હરી ગઈ હતી તો તેઓ દેવરહા બાબાની પાસે પોતાની સમસ્યાનો હલ માંગવા આવી હતી. ત્યારે બાબાએ પોતાના હાતના પંજાથી તેમને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ હાથનો પંજો છે. માન્યતા પ્રમાણે બાબને મળ્યા પછી ચુંટણીમાં ઈન્દિરા ગાંધીની જીત થઈ હતી.

Source :

http://religion.divyabhaskar.co.in/news-hf/JM-JMJ-GYVG-yoda-can-give-you-long-life-900-year-old-devraha-baba-mysterious-life-5027971-PHO.html?seq=1

INDIAN ARMY RANK CHART.


INDIAN ARMY RANK INSIGHNIA (1)

ગણેશજીની પૂજનની સામગ્રી અને રીત


images

ગણેશજીની પૂજનની સામગ્રી અને રીત

ગણેશચર્તુથી યાને વિનાયકચર્તુથી નો ઉત્સવ ઉલ્લાસ ભેર ખાસ કરી ને મોટા પાયે ભારતભરમાં ઉજવાય છે. ઘણા લોકો ગણેશજી ની પૂજા ઘરે કરે છે. ઘરમાં ગણેશપૂજા કરવામાં આવે છે તે અંગેની સમજ હિન્દુશાસ્ત્ર (ધર્મગ્રંથ) મુજબ અહીં નીચે આપવામાં આવી છે.

પૂજનની રીત

• સૌ પ્રથમ ઘર સાફ કરવું અને પછી સ્નાન કરવું
• ઉંચા સિંહાસન ઉપર માટીની મૂર્તિ સ્થાપવી 
• ભગવાન ગણપતિની પ્રાર્થના કરો અને પછી મંત્રો અથવા ભજન કરી ગણપતિ ભગવાનને અર્પણ કરો 
• પછીનું પગલું ગણપતિની મુર્તિમાં પ્રાણ પૂરવા કે જેને પ્રાણપ્રતિષ્ઠા કહે છે. ઋગવેદમાં પ્રાણપ્રતિષ્ઠાનાં મંત્રો આપવામાં આવ્યા છે કે તે ગણેશ સુક્તનો ભાગ છે.

ઓમ ગણનાંત્વાં ગણપતિ ગું હવામહે કવિ કવિનામુપમશ્રવસ્તમ્ | 
જયેષ્ઠરાજં બ્રાહમણાં બ્રાહમણસ્યત આનઃ શ્રણ્વન્નુતિભિસ્સીદ સાદનમ્ ॥
(ઋગવેદનો ૨.૨૩.૧)

અર્થાત્, અમે તમારી પ્રાર્થના કરીને જાગ્રતકરીએ ગણોનાં ગણપતિ (ભગવાન શિવનાંગણો) કે જે બ્રાહ્માનાં બ્રહમસ્પતિ છે. સમજોમાં સમજનો તું ભંડાર છે. તું બુદ્ધિમાન (બુદ્ધિશાળી), તું અમારી પ્રાર્થના સાંભળ અને આશીર્વાદ આપ, તેમજ અમારી રક્ષા કર. અમારી સાથે જ રહો.

ની સુહ સિદ્ધ ગણપતે ગણેશુ ત્વમાહુરવિપ્રતમ કવિનામ્ | 
ના રીતેત્વતઃ કરિયતે કિંચનરે મહામાર્કમ્ માધવાનઃ ચિત્રામાર્ચ ॥
(ઋગવેદ ૧૦.૧૧૨.૯)

ગણેશજીની પૂજા કરવામાં વપરાતી સામગ્રી

• ગણેશજીની માટીની પ્રતિમા(મૂર્તિ)
• લાલ ફુલો
• દુર્વા
• લાડુ
• નારિયેળ
• લાલચંદન
• અત્તર અને અગરબત્તી

ગણેશ પૂજનનો વિધિ

કેટલાક લોકો ષોડસોપચાર કરે છે તે ૧૬ ભાગોમાં ગણેશને ઋણપ્રદાન થાય છે.(આ ધાર્મિક ક્રિયા ખાસકરીને ધર્મગુરુઓથી થાય છે, તમે પણ આ કરી શકો છો). 

• ૨૧ દુર્વા પધરાવો (ધરાવો)
• ૨૧ લાદુ ધરાવો
• લાલ ફુલો પધરાવો
• ચંદન લાકડાનું ચંદન થી ટીલક કરો
• નારિયેળ વધારવું અથવા મૂર્તિ સાથે મૂકો. 

તમો ભગવાન ગણપતિ ને ૧૦૮ વાર નમષ્કાર બોલી ને અર્પણ કરી શકો છો અથવા ગણેશ ઉપનિષદ વાંચી શકો છો અથવા કંઇ નહી તો પ્રાર્થના કરી શકો છો. ૨૧ મુદ્રા, પાંચ જ્ઞાનેન્દ્રય, પાંચ કર્મેન્દ્રય, પાંચ પ્રાણાયમ, પાંચતત્વ અને મસ્તિકની મુદ્રા. ગણેશજી નું પુજન જ્યારે ઘરમાં કરીએ ત્યારે તમો મગ્ન રહી, સચેત થઇ આ બધું કરવું. સ્વરછ શરીર અને પવિત્ર મનથી કરવું ઘણુ જરૂરી છે જે તમારી ભક્તિનું મહત્વ વધારે છે નહીં કે ધાર્મિક ક્રિયાનું. ચુસ્ત ધાર્મિક ક્રિયા વૈદિક ધર્મગુરુઓ માટે છે.

હિન્દુઓ નાં પ્રતિક ગણેશ

હિન્દુઓનાં પૂજનીય ગણેશ દેવ છે અને તેઓ સમૃદ્ધિનાં ભગવાન છે. વિઘ્નહર્તા, ભગવાનનાં સ્વામી ગણપતિ, સિધ્ધ વિનાયક કે જેઓ શંકર અને પાર્વતીના પૂત્ર છે. ગણપતિ ભગવાનનાં બીજા ઘણા નામો છે. જે પૂરતા છે. ગણેશજીનું ચિત્ર એક કરતા વધારે હસ્ત અને શસ્રવાળું હોય છે. ખરેખર બે હાથવાળા ગણેશજી બતાવવા મનાઇ છે. ખાસ કરીને ઉધરણમાં ગણેશ ચાર હાથ વાળા અને સિમાચિન્હ સાથે હોય છે. કેટલીક વાર ગણેશજીની પ્રતિમાનું ચિત્ર ૧૬ થી ૨૦ હાથોવાળું પણ બતાવી શકાય છે. અથવા સીમા ચિન્હરૂપ વસ્તુઓ ધરાવે છે. તેમનાં ચરણોમાં ઘણી સામગ્રી ચઢાવાય છે. ફળ અને ફુલથી બનાવેલ હાર ઓજાર અને શસ્ત્રથી સજ્જ કરાય છે, જેનું મૂળભુત મહત્વ આધ્યાત્મિકતા છે. જુદા જુદા અંગોનાં સાંકેતિક અર્થ છે, તેમનાં એક ઉપર હું ભાર આપવા માંગુ છું. આપણે આવનારા યુગ માટે ગણેશજીની મોહક વાર્તાઓ નું જતન કરીએ.

સામુહિક ચિન્હ

ગણેશ ભગવાનનાં શસ્રોથી પ્રારંભ કરીએ. ભગવાન શ્રીગણેશજી નું ચિત્ર હંમેશા પરશુરામનાં સીમાચિહ્ન થી સજ્જ હોય છે. પરશુ લાગણીનાં બંધનોને દૂર કરવાનું મૂળભૂત સીમાચિન્હ છે, કે જે તેના ભક્તોની નબળાઇઓ અને ખોટી માન્યતાઓ દૂર કરવાનું ગણેશજીનું સામર્થ્ય પણ દર્શાવે છે. ઘણીવખત ગણેશજીનું ચિત્ર પરશુથી પણ સજ્જ હોય છે કે તે લાગણીઓના બંધનને દૂર કરનારું છે અને તેના ભક્તોના રક્ષણનું પ્રતિક છે. ઘણીવખત અંકુશથી સજ્જ ચિત્ર પ્રેમ, જ્ઞાન અને કર્મના ત્રણ આધ્યાત્મિક સંકેત દર્શાવે છે. ઘણીવખત ગણેશજી આધ્યાત્મીકતાની સાંકળી કેડી પર પહોચવા માટેના પ્રતીક સમા કરાર, છરી કે અસ્ત્રાની તીક્ષ્ણસધારથી સજ્જ હોય છે.

ગદા કે જે ગણેશજીનું દ્રઢ મનોબળ અને શિસ્તનું પ્રતિક છે કે જે સતત તેના ભક્તોને આધ્યાત્મિકતાનાં સંપૂણ ઉંડાણ સુધી પહોંચવા માટેનું બળ પુરૂ પાડે છે. ઘણીવખત ભગવાન શ્રી ગણેશ વ્રજ ત્રિશુલ ધારણ કરે છે કે જે મનના જુસ્સા તથા સંયમનું પ્રતીક છે. શ્રીગણેશનું બીજુ આધ્યાત્મિક ચિન્હ ચક્ર છે કે જે સૂર્ય અને મનને રજુ કરનાર શક્તિશાળી શસ્ત્ર છે, ગણેશજી નું બીજું શસ્ત્ર પાશ કે જે ભક્તોનાં ચંચળ કાનને આકર્ષવાનું શસ્ત્ર છે.

સાંકેતિક ચિન્હો

શ્રી ગણેશજી બીજીજાતનાં સાંકેતિક પદાર્થના ધારક છે. જે કોઇપણ વ્યક્તિ આધ્યાત્મિકનાં રસ્તે જતા રોકતો હોય ત્યારે તેઓ અંકુશનો ઉપયોગ કરી ઘોંચે છે. પ્રેમાળ ગણેશજીની પાસેનું કમંડળ, જળપાત્ર અને સંપૂણ સાંકેતિક ચિન્હો કે જે ભક્તોની જરૂરિયાત પૂરી કરવા ધારણ કરે છે. મહગર એ હથોડો છે કે જે કળાનું આશ્રયદાતા નું પ્રતિક છે જે સારે રસ્તે જનારાઓનું રક્ષક તરીકે નું પ્રતિક છે. કેટલીકવાર ગણેશજી તુટેલ દંતશૂળ ધારણ કરતા હોય છે કે જે પેન તરીકે ઉપયોગ કરી વ્યાસજી ધર્મ ગ્રંથ લખાવે છે તે માટે કરે છે. તેઓ આપણાને બોધ આપે છે કે આપણે જે કઇ પણ શરૂઆત કરીએ તેને પુરૂ કરવું જોઇએ અને તેનો લક્ષ ઉચ્ચ આધ્યાત્મિકતા શીખવા માટે છે. ગણેશજી શેરડીના ધનુષનો ઉપયોગ કરવાને પણ જાણીતા છે, કે જેનો ઉપયોગ જીવનનાં રહસ્ય તથા પરોપકાર કરવા માટે કરે છે. ગણેશજી વીણા તથા તંબુરાને ધારણ કરી સમજાવે છે કે તે પોતે ધ્વનિ(સ્વર) છે અને તેઓ સર્વે સર્વા છે. આપણને સાથે રાખીને સાંભળવા નું કહે છે. ગણેશજી લાકડી તથા ડંડો ધારણ કરે છે કે જે સુચવે છે કે ધર્મનો વિરોધ ન કરવો. પ્રેમાળ ગણેશજી ભગવાન કેમેરાની જેમ તેમના અનુરાગીઓને મનમાંથી ભુતકાળની સ્મૃતિ ભુલી જાય અને વર્તમાનમાં જીવવાનું સુચવે છે. ગણેશજીના ચરણોમાં ધર્મ ગ્રંથ હોય છે તેઓ આપણા જીવનની હયાતિઓની ટકોર કરે છે.

સાંકેતિક ફળો

શ્રી ગણેશજીનાં ચરણોમાં ફળફળાદિનો ટોપલો જોઇ શકશો, જે નિર્દેશ કરે છે કે તેના ચરણોમાં સારી દુનિયા છે. કેરીનુ ફળ આધ્યાત્મિક્તના ઉપયોગ માટેનું છે. તેના ચરણોમાં ઉદંરનુ વાહન આધ્યાત્મિક પર્યતન(પ્રવાસ) કરવાનું નિર્દેશન કરે છે. સમર્થ અને પ્રેમાળ ગણેશજી નમ્ર અને શાકાહારી દાડમનું કે જે માંસ અને લાલ રંગનાં લોહી જેવું, બીજુ કે જે મીઠાં અને સરસ લાગે છે તેઓ તેના હાથમાં લાડુ ધરાવે છે. મીઠા ચોખાનાં લાડુ કે જેની સાંકેતિક મીઠાશ જે આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે. નારિયેળ જે ઉપયોગ કરીએ છીએ તે એવું સુચન કરે છે ઉપરનું પડ ભલે સખત હોય છતાં અંદરથી મીઠાશ તથા નરમાઇ હોય છે. ગણેશજીના હાથમાં રહેલું કમળનું ફુલ આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે કે જે નો છોડ ભલેને ગંદા અને કાદવ વાળા પાણીમાં ઉછરતો હોય.

શરીરની રચનાની સાંકેતિક

ગણેશજીએ ઊંચો કરેલ હાથ ભક્તો ઉપર દયા કરવા તથા રક્ષા કાજે નું નિર્દેશન કરે છે અને ઓમ નું પ્રતિક કાયમ તેની પાસે હોય છે. તેનું એવું નિર્દેશન કરે છે કે સારૂ જગત તેમજ સર્વોમાં હું એક જ છું. તેની સૂંઢ વિવેકનું પ્રતિક છે કે જે આધ્યાત્મિકતાનાં રસ્તે થઇ સફળતા મેળવવા નું સુચવે છે. ગણેશજીનું વિશાલ ઉદર સારી નરસી વસ્તુઓ શાંતિથી પચાવવાનું કહે છે. ગણેશજીના ખભા ઉપર નાગનું પ્રતિક છે કે જે કુંડળીની શક્તિ ઉંચે લઇ જવાનું કહે છે. પ્રેમાળ અને શક્તિશાળી એવા સર્વ સંપન્ન ગણેશજીની વાર્તાઓ રંગીન સાંકેતિક છે કે જેની પ્રતિકૃતિઓનો ઉપયોગ ફક્ત સાચા રસ્તે જવા કરીએ.

સ્તોત્ર – suratganeshutsav.com


રુપિયા છાપવા પ્રિન્ટ ખચૅ.

UPDATE RTO NO.


UPDATE RTO NO.

UPDATE RTO NO.

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ઈતિહાસ


મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

કોઈ પણ તપસ્વીનાં તપથી પ્રસન્ન થઈને શિવજી અહીં પ્રગટ્યા નથી. અહીં તો શિવજી પોતાની ઈચ્છાથી જ અને પોતાના સ્વાર્થ ખાતર જ જ્યોતિર્લિંગના રૂપમાં અહીં સ્થિત થયા છે ! એકવાર ભગવાન શંકરજીના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેય – સ્વામી ઝઘડી પડ્યા. ગણેશજી કહે કે મારાં લગ્ન પહેલાં થવાં જોઈએ અને કાર્તિકેયજી કહે કે મારાં. વાત જિદ્દે ચડી. અંતે શંકરજીએ રસ્તો કાઢ્યો કે પૃથ્વીની પરિક્રમા કરીને જે પહેલો પાછો આવે, તેનાં લગ્ન પહેલાં થશે ! આ સાંભળતાં જ જરાય સમય ગુમાવ્યા વગર કાર્તિકેયસ્વામી તો પૃથ્વીની પરિક્રમાએ દોડી નીકળ્યા. પણ ગણેશજીનો સ્થૂળકાય, કાર્તિકેયસ્વામીની ઝડપે તો એ ક્યાંથી દોડી શકે ! પણ ગણેશજી ચતુર ઘણા. તેમણે તો પોતાનાં માતા- પિતા પાર્વતીજી અને શિવજીને આસન પર બેસાડ્યાં, પૂજન કર્યું, તે બન્‍ને ફરતી સાત પ્રદક્ષિ‍ણા કરી અને વંદન કર્યાં. અર્થાત્ માતા – પિતાનું પૂજન અને પરિક્રમા જે કરે છે, તેને પૃથ્વી પરનાં તમામ ફળની પ્રાપ્તિ નિશ્ચિત રૂપે મળે છે. આથી ગણેશજીને પૃથ્વીની પરિક્રમા કર્યાનો અધિકાર પ્રાપ્‍ત થઈ ગયો !

કાર્તિકેયસ્વામી પ્રદક્ષિ‍ણા પૂર્ણ કરીને પરત આવે તે પહેલાં તો વિશ્વરૂપ પ્રજાપતિની બે કન્યાઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે ગણશેજીના લગ્ન થઈ ચૂક્યાં હતાં. એટલું જ નહીં પણ તે બંન્‍નેએ અનુક્રમે ક્ષેમ અને લાભ નામના પુત્રરત્નોને જન્મ પણ આપ્‍યો હતો. પૃથ્વીની પ્રદક્ષિ‍ણા પૂરી કરીને કાર્તિકેયસ્વામી જ્યારે પાછા ફર્યા, તે ઊકળી ઊઠ્યા અને સંસ્કાર મુજબ માતા – પિતાનાં ચરણસ્પર્શ કરીને તરત જ રિસાઈને શ્રીશૈલ પર્વત પર ભાગી ગયા. પાર્વતીજી અને શિવજીને પુત્રવિયોગ મનોમન ખૂબ સતાવવા લાગ્યો. તેઓથી વધુ સમય પુત્રવિયોગ સહી ન શકાયો. આથી શિવજીએ પોતે જ શ્રીશૈલ પર્વત પર જઈને કાર્તિકેયસ્વામીને મનાવવા અને તેમને પાછા લઈ આવવાનો નિર્ધાર કર્યો. મહાદેવજી અને પાર્વતીજી શ્રીશૈલ પર્વત પર ગયાં. પરંતુ તેમના આવવાની જાણ થતાં જ કાર્તિકેયસ્વામી દૂરના બીજા સ્થળે ચાલ્યા ગયા. પોતાના પ્રિય પુત્રને જોવાની ફળી નહીં, એટલે કાર્તિકેયજીનાં દર્શનની આશામાં ભગવાન શંકર અહીં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિત થયા. આ જ્યોતિર્લિંગની સંભાળ લેવાવાળું કે પૂજન કરવાવાળું આ વેરાન પર્વત પર કોઈ ન હતું, કેટલાંય વર્ષોનાં વહાણાં વીતી ગયાં. એવામાં આ પર્વતની તળેટીના વિશાળ જંગલમાં ચંદ્રગુપ્‍ત નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને ચંદ્રાવતી નામની એક અતિ સ્વરૂપવાન કુંવરી હતી. પણ શિવભક્તિમાં ખોવાયેલી આ ચંદ્રાવતી લગ્ન કરવા જ ઈચ્છતી ન હતી. લગ્ન માટેના પોતાના માતા – પિતાના દુરાગ્રહથી કંટાળીને એક દિવસ ચંદ્રાવતી રાજ્યની જાહોજહાલી છોડીને જંગલમાં નાસી ગઈ. અંતે શ્રીશૈલ પર્વત પર તે આવી પહોંચી. એક દિવસ તેણે જોયું કે એક ગાય હંમેશા એક ખાસ જગ્યાએ તેના આંચળમાંથી જમીન ઉપર દૂધ રેડતી હતી. કુતૂહલથી એક દિવસે ચંદ્રાવતીએ એ જગ્યા ખોદી, તો તેને આ જ્યોતિર્લિંગનાં દર્શન થયાં.

સ્તોત્ર – http://www.12jyotirlinga.com

ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે……… અહીં


ગુજરાત પ્રવાસન

ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે……… અહીં

  • પ્રવાસ એ ઉપચાર સંબંધી પ્રવૃત્તિ છે.
  • પ્રવાસ એ શૈક્ષણિક પ્રક્રિયા છે.
  • પ્રવાસ એ પ્રકૃતિને જાણવા-સમજવાની રીત છે.
  • ગુજરાતમાં વિશાળ સમતળ ભૂમિ પર પથરાયેલા લીલાછમ મેદાનો, ઐતિહાસિક  સ્‍થળો ઉપરાંત વિશાળ દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.
  • ગુજરાતનો પ્રવાસ સ્‍ફૂર્તિદાયક, આલ્‍હાદક અને રોમાંચક બને છે.
  • ગુજરાતમાં સતત ચેતનવંતી સંસ્‍કૃતિ અને ભાઇચારાની અનુભૂતિ કરાવતો માનવ સમાજ…..
  • અહીંના જીવનની અવિસ્‍મરણીય અનુભૂતિ, યાદગાર પળોની સ્‍મૃતિ અને જીવન જીવવાની કળા શિખવા મળે છે.
  • ભારતમાં ગુજરાત તેની આગવી શૈલી અને સંસ્‍કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્‍પન સંસ્‍કૃતિથી શરૂ કરી મોગલ સામ્રાજ્ય સુધીનો ભવ્‍ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્‍કૃતિનો સ્‍પર્શ કરાવે છે.
  • વિભૂતિઓની ભૂમિ ગુજરાત : ‘ગુજરાતની કૂખે અનેકવિધ વિભૂતિઓ જન્‍મી છે. સ્‍વાતંત્ર્ય સંગ્રામના સ્‍વાતંત્ર્યવીરોમાં મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્‍લભભાઇ પટેલ વગેરે કે જેઓએ આઝાદીના જંગમાં લડત આપી. અહિંસા, ભાઇચારો, બીજા પ્રત્‍યે માન તેમજ રાષ્‍ટ્ર ભક્તિના પાઠો ભારતીયજનોને શિખવાડ્યા.
  • ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍મારકો : ૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્‍ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્‍કૃતિક સભ્‍યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્‍ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્‍વીય ઇમારતો આવેલી છે. લોથલ હડપ્‍પન, પાલિતાણા મંદિરોના નિર્માણ દ્વારા તેની ધાર્મિક સંસ્‍કૃતિને ગવાહી પુરે છે. જૂનાગઢમાં બૌદ્ધ ઋષિઓની ગુફાઓ આવેલ છે.

 ગુજરાતની મુલાકાતે આવેલ પ્રવાસીઓ (ભૂતકાળમાં) : વર્ષ ૨૦૦૬-૨૦૦૭ દરમિયાન કુલ ૧ કરોડ ૨૩ લાખ ૪૦ હજાર પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી હતી. તે સમય અગાઉના વર્ષ દરમિયાન ૧.૭૫ લાખ જ્યારે વર્ષ ૨૦૦૬-૦૭ ના વર્ષ દરમિયાન ર લાખ કરતા વધારે વિદેશી મુસાફરોએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

આધ્‍યાત્‍મિક પ્રવાસન : ગુજરાતમાં અસંખ્ય જગ-પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. જેમાંના મોટાભાગના હિન્‍દુઓના તીર્થસ્થાનો છે. આ યાત્રાધામોના પ્રત્ચેક ગુજરાતી જીવનમાં ઓછામાં ઓછા એકવાર દર્શન કરે છે. વિદેશીઓ અને બિન રહેવાસી ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ખાસ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોની મુલાકાત લેવા માટે ગુજરાત આવે છે.

  • સોમનાથ અને દ્વારીકા : ભગવાન શ્રી શીવજીના પ્રસિદ્ધ બાર જ્યોર્તિલીંગમાનું સોમનાથ જ્યોર્તિલીંગ ગુજરાતમાં વેરાવળ પ્રભાસ-પાટણ ક્ષેત્રમાં આવેલું છે, આ ભવ્ય મંદીરનું નવનિર્માણ ઇ.સ. ૧૯૫૦માં કરવામાં આવેલું હતું. વિદેશી આક્રમણકારોએ સોમનાથ મંદીરનો અસંખ્યવાર ધ્વંસ કર્યો હતો. હિન્દુઓની આસ્થાના પ્રતિક રુપ સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો છે. સોમનાથ ભગવાન શિવજીનું મંદિર છે. જે યજુર યુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર તથા રાપરયુગમાં શ્રી ગણેશ્વરના નામે ઓળખાય છે. 
  • દ્વારકા (જામનગર જીલ્‍લો) જે પ્રાચીન સૌરાષ્‍ટ્ર રાજ્યની રાજધાની હતી જેની રચના ભગવાન શ્રીકૃષ્‍ણએ કરી હતી. પાવાગઢ પ્રસિદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાધામ છે. જે ચાંપાનેર ખાતે આવેલ છે. પાવાગઢને યુનેસ્‍કો દ્વારા વર્લ્‍ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્‍યો છે. પાવાગઢ મંદિર એ પર્વતની શિખરે પર આવેલું છે. જેની ઊંચાઇ ૧,૪૭૧ ફુટ છે. ગુજરાત સ્થિત પાવાગઢ જગપ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાનું જન્‍મ સ્‍થળ છે.
  • જુનાગઢ સ્થિત ગિરનાર પર્વત હિન્દુ સાધુઓ અને જૈન મુનિઓ માટે અતિ પવિત્ર સ્થાનકોમાંનું એક છે, અહીં સાધુઓના અખાડા તેમની અલગારીને લીધે પ્રસિદ્ધ છે. ઘણા સાધુઓ અને પવિત્ર દેહઘારી પુરુષો તેમની મસ્તીમાં જીવન વિતાવે છે. વિશેષ રુપથી જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ તેમની દિવ્યરુપ સાથે બિરાજમાન છે. આ ગિરનાર પર્વત ઉપર રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગિરનારના કુલ 9990 પગથિયાં માંથી 5500 પગથિયાં ચઢવા-ઉરતવાની પ્રતિયોગિતા યોજાય છે.
  •  ૫૧ માંથી ર શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે. મા અંબાજીનું મંદીર ઉ. ગુજરાતના સાંબરકાઠાં અને મા મહાકાળીનું મંદીર મધ્ય ગુજરાતમાં પાવાગઢ ખાતે આવેલા છે.
  •  ભારતના પાંચ પવિત્ર તળાવો માંથી એક નારાયણ સરોવર અને સાત પવિત્ર નદીઓ માંથી એક પાવાગઢમાંથી આવે છે.
  • ડાકોર, વીરપુર, ખોડીયાર, સારંગપુર, ગોંડલ વગેરે સ્‍થળો ધર્મ અને આસ્થાના પવિત્ર સ્થાનકો ગુજરાતમાં આવેલા છે.
  • પારસીઓના ત્રણ પવિત્ર યાત્રાધામો ગુજરાતમાં આવેલ છે. આગ મંદિર ઉદવાડામાં, અત્‍સબેહરમ નવસારીમાં અને સુરતમાં અત્‍સબેહરમ છે. પારસીઓએ ભારતમાં આવવા માટે ઉતરાણ કર્યું હતું તે સ્‍થળ સાંજણ બંદર આવેલ ગુજરાતના દક્ષિણકાંઠે આવેલું છે.
  • સ્‍વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર મંદિરો અક્ષરધામ, ગઢડા, બચોસણ, ગોંડલ, સારંગપુર વગેરે જગાએ આવેલાં છે.
  • જૈન સંપ્રદાયના પાંચમાંથી બે યાત્રાધામ પાલિતાણા અને ગિરનાર ગુજરાતમાં આવેલ છે. તદઉપરાંત જૈન યાત્રાધામો જેવા કે શંખેશ્વર, તારંગા, કુમ્‍ભારીયાજી, ભદ્રેશ્વર, માંડવી, મહુડી વિગેરે આવેલ છે. 
  • સરખેજ અને ઊંઝામાં ઇસ્લામ ધર્મની પવિત્ર મસ્‍જીદ આવેલી છે.
  • sઆધ્‍યાત્‍મિક ગુરુઓ મોરારીબાપુ, રમેશ ઓઝા વગેરે ના પણ આશ્રમો આવેલ છે. જેઓ ભારત ભરમાં પ્રસિદ્ધ છે.

હેરિટેજ પ્રવાસન

  • ગુજરાતમાં સમૃદ્ધ વિશ્વ પ્રસિદ્ધ સ્‍થાપત્‍ય કળાના નમૂના આવેલા છે. પ્રાચીન શહેર જેવા કે લોથલ અને ધોળાવીરા, પ્રાચીન બુદ્ધિસ્‍થ સ્‍થાપત્‍ય
  • અમદાવાદની ‘હેરિટેજ વૉક’ ભારતની એક માત્ર ‘‘વૉકીંગ ટુર’’ છે.
  • ગુજરાતના અમૂલ્‍ય સ્‍થાપત્‍યનું પરિણામે છે અહીં આવેલી હેરિટેજ હોટલો. ગુજરાત રાજ્ય પાસે આવી ૨૦ હેરિટેજ હોટલો છે. કે જે જૂના મહેલો કે કિલ્‍લામાંથી બનાવેલ છે.

સાંસ્‍કૃતિક પ્રવાસન

  • ગુજરાતના પ્રવાસન સ્થળો ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાગત ધાર્મિક આસ્થાના પ્રતીક છે. જે ભારતીય કળા, વૈભવ, બેનમૂન સ્થાપ્ત્યો, પવિત્રતા અને સમૃદ્ધ વિચારોના પ્રતિક સમાન છે. ગુજરાતની પ્રજામાં વિશ્વાસ, સત્‍ય, સહિષ્‍ણુતા તથા અતિથિને ભગવાન માનવાના ઉચ્‍ચ વિચારો આવેલા છે. અહીંના લોકો સાદુ જીવન, ઉચ્‍ચ વિચારો ના સિદ્ધાંતને વરેલા છે. અહીં જુદા-જુદા ધર્મો અને જાતિના લોકો કોમી એખલાસની ભાવના અને સહિષ્ણુતા સાથે એક બીજાને મદદ કરીને રહે છે જે ગુજરાતની આગવી ઓળખ છે.
  • આદિવાસી અને તેમની કળા ગુજરાતની સાંસ્‍કૃતિની પરંપરાના ભાગ છે. જેઓ કર્ણ-પ્રિય સંગીત, કલાત્મક નૃત્‍ય અને ભાવનાત્મક નાટક ભજવી જાણે છે.
  • ગુજરાત શ્રેષ્ઠ હસ્‍તકલા જેવા કે પટોડા, ખાડી, બાંધણી, છાપકામ, ભરતકામ, નંડા, રોગણ ચિત્રકામ, માતાની પછેડી, લાકડાની કૃતિઓ, વાંસની કૃતિઓ, પિથોરા, કવિતાઓ વગેરે માટે જાણીતું છે.
  • ગુજરાત દરેક ધર્મો – રિતરીવાજોના તહેવારો તેના રંગમાં રંગીને ઉજવે છે
  • આરબો, ડચો, પોર્ટુગીઝો, મુઘલો અને બ્રિટિશોની સંસ્‍કૃતિની છાપ પણ ગુજરાતની સંસ્‍કૃતિમાં જોવા મળે છે.

પ્રસંગ પ્રવાસન

  • પ્રસંગ પ્રવાસન એ આર્થિક કામકાજો-પ્રવૃત્તિમાં અને પ્રવાસીઓને રાજ્યમાં આકર્ષવા માટે વધારો કરે છે. ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારી સંમેલનો, મેળાવડા, વેપારી ગોષ્ઠી, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, મેળાઓ, કોન્‍ફરન્‍સ વગેરે અવાર-નવાર થાય છે. તેમાં રાજ્ય સરકારનો અભિગમ પ્રસંગ પ્રવાસનને વેગ મળે તે છે.
  • પ્રસંગોચિત પ્રવાસનના લીધે રમત પ્રવાસન, પર્યાવરણ પ્રવાસન, મનોરંજન પ્રવાસનમાં પ્રવાસીઓનો વધારો થાય છે. વળી તેઓ ગુજરાતના ગામો, શહેરો, દરિયાકિનારા, થિમ પૅવેલિયન જોઇને ગુજરાતના ઝાંખી મેળવે છે.
  • ગુજરાત પાસે અખૂટ જોવા મળતી પ્રવાસનના વિકાસ માટેની તકો છે. જે આર્થિક લાભોની સાથે મનોરંજન અને આનંદ આપે છે.

મનોરંજન અને પર્યાવરણ પ્રવાસન

  • ગુજરાત આનંદ – પ્રમોદની ભૂમિ છે. ભારતભરમાં ગુજરાતમાં શ્રેષ્‍ઠ દરિયાકિનારો છે. અહીં અર્થ-પ્રવાસનની ઊજળી તકો છે. અહીં મનોરંજન પ્રવાસનની સાથે સાથે આર્થિક પ્રવાસનની તકો ઊજળી છે. નળ સરોવર તથા ગાંધીનગરને અર્થ પ્રવાસનથી સાથે જોતરેલા છે. નળસરોવર કુદરતી સૌંદર્યના સ્‍થળની સાથે સાથે ઇકો-પાર્ક છે. નયનરમ્‍ય સ્થળો અને વિકાસ માટેની અમાપ તકો છે. આ સમગ્ર વિસ્‍તાર સપાટ ખુલ્‍લા મેદાનો અને જંગલો વાળો વિસ્‍તાર છે. સ્‍થાનિક પ્રવાસીઓ માટે એકદિવસીય પ્રવાસ માટે શ્રેષ્‍ઠ જગા છે. જ્યાં બોટિંગ, પક્ષીદર્શન, સાથેની આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓની સગવડ છે. અહીં ગુજરાતભરના પ્રવાસીઓ આવે છે. ગાંધીનગર પ્રાકૃતિક સૌંદર્ય અને ઉધાનોથી ઘેરાયેલું લીલુંછમ શહેર છે.
  • ગુજરાતમાં સરિતા ઉધાન, સયાજી બાગ, પરિમલ બાગ, જેવા સૌંદર્ય અને પ્રાકૃતિક સંપદાથી સજ્જ બગીચાઓ આવેલા છે. અમદાવાદ સ્‍થિત કાંકરિયા તળાવ તેના નવા રૂપરંગ અને સગવડોથી પ્રવાસીઓના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. કાંકરિયાની ફરતે પ્રાણીસંગ્રહાલય,
  •  માછલીઘર, બાળકો માટે બાલવાટીકા, રેલગાડી, ઉપરાંત કાંકરિયામાં જળવિહાર તેમજ ખાણી-પીણી અને આનંદ પ્રમોદનાં સગવડો ઉપલબ્‍ધ છે.
  •  દેશનો પહેલું ઇકો પ્રવાસન ક્ષેત્ર દ્વારકા પાસે સોમનાથ ખાતે ડની પોઇન્‍ટ પાસે આવેલ છે. ગુજરાત સરકારની યોજના દ્વારા પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આવે છે. અને તેના માટે નવી યોજનાઓ બનાવવામાં આવે છે. વળી પ્રવાસીઓને પણ પર્યાવરણને હાનિ પહોંચાડયા વગર મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
  •  ગુજરાતના રાજ્ય ધોરીમાર્ગો અને રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો પણ વિવિધ રેસ્‍ટોરાં અને કાફેટેરીયા આવેલા છે.

ગ્રામ્ય અને શહેરી પ્રવાસન

  • ગુજરાતે એશિયાના પહેલા ‘‘ગ્રીન પ્રવાસન’’ ની શરૂઆત કરીને ‘‘ગ્‍લોબ વૉર્મિંગ’’ સામે લડવાની ગુજરાતની તૈયારી અને ઇચ્‍છા શક્તિ દર્શાવે છે કે વિકાસની સાથે-સાથે પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. શહેરી પ્રવાસન વધુ ને વધુ પર્યાવરણ સાથે તાલમેલ બેસાડીને બને તેટલું ઓછું પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યું છે.
  • ગ્રામ્ય અને શહેરી પ્રવાસનને લીધે ગુજરાતમાં આવતા પ્રવાસીઓને શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોની ઝાંખી કરવામાં આવે છે. જેમાં હાઇકીંગ એન બાઇકીંગ, જુદા જુદા સંગ્રાહાલયોની મુલાકાત, જુદી જુદી કળા અને હસ્‍તકળાની ખરીદી સામેલ છે. મેળાઓ અને તહેવારોમાં ગુજરાતી પ્રજામાં રહેલા કૌશલ્‍યોની ઝાંખી કરાવે છે. ગુજરાત પાસે શહેર તથા ગામના વિકાસમાંની ઉજળી તકો તથા તે માટેની ઇચ્‍છાશક્તિ અહીં જોવા મળે છે. જેના લીધે આર્થિક વિકાસ ક્ષેત્રે પણ લાભ થશે. ગુજરાતના પરંપરાગત કળા અને હસ્‍તકલાએ દુનિયાભરના લોકોના દિલ જીત્‍યા છે. ગ્રામ્‍ય પ્રવાસ પ્રવાસીઓને ગામડાંમાં રહેલા લોકોના જીવન, પરંપરા, સંસ્‍કૃતિ વિચારો જાણવાની તકો આપે છે. જે શહેરોમાં સામાન્‍ય રીતે મળતી નથી.

નૈસર્ગિક પ્રવાસન

  • વિશ્વ પ્રવાસીઓ કે જે કુદરત અને વન્‍યજીવનની શોધમાં છે તેમના માટે ગુજરાત એક હકીકત સમાન છે. ગુજરાતમાં વિવિધ પ્રકારના જંગલો, વિશાળ સમુદ્ર કિનારો, દરિયાઇ જીવન, રણ પ્રદેશ, સમૃદ્ધ હરિયાળા જંગલો છે. અહીં કેટલાક વિશેષ પ્રાણીઓના રહેઠાણ છે. જંગલના રાજા સિંહ ગીરના જંગલોમાં જોવા મળે છે. જે ગુજરાત પ્રવાસન માટેનું એક મુખ્‍ય આકર્ષણ છે.
  •  ગુજરાતમાં ૪ રાષ્‍ટ્રીય ઉદ્યાનો અને ૨૧ અભ્‍યારણો આવેલા છે.
  • ગીરના જંગલોમાં સિંહ, કચ્‍છના રણમાં ઘુડખર, વિદેશી પક્ષીઓ નળ સરોવરમાં, કાળિયાર અને ચાર શિંગડાવાળા હરણના અભ્‍યારણો, કેટલાંક પક્ષીઓના અભ્‍યારણો ગુજરાતમાં આવેલા છે
  • વ્‍હેલ શાર્ક ગુજરાતના દરિયામાં આવે છે.
  • કચ્‍છના અખાતમાં દેશનું પ્રથમ દરિયાઇ અભ્‍યારણ આવેલું છે.
  • ઓખામાં કિડોખાઉ મળી આવે છે.

આરોગ્‍ય પ્રવાસન

  •  ગુજરાતની યોગ, આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથી, હિલિંગ, રૈકી વગેરે ચિકિત્‍સા પદ્ધતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્‍યાત છે.
  • આયુર્વેદિક ચિકિત્‍સા પદ્ધતિ અને પ્રાકૃતિક ચિકિત્‍સા પદ્ધતિનું કેન્દ્ર ગુજરાત છે. ગુજરાતમાં અમદાવાદ, નડિઆદ, કરમસદ અને વડોદરામાં વિશ્વસ્‍તરના આધૂનિક દવાખાના અને ચિકિત્સા-સુવિધા આવેલી છે. તબીબી અભ્યાસ માટે ગુજરાતમાં શ્રેષ્ઠ મેડિકલ કૉલેજ અને ફાર્મા કૉલેજો આવેલી છે.
  • ગાંધીનગર, અમદાવાદ અને રાજ્યના મુખ્ય શહેરોમાં સ્પા અને મસાજ કેન્‍દ્રો આવેલા છે. જે અનોખી ચિકિત્‍સા પદ્ધતિ દ્વારા રોગીઓનો ઇલાજ કરે છે.
  •  ગુજરાતભરમાં વિશ્વસ્‍તરના યોગ કેન્‍દ્રો આવેલા છે. પ્રાચીન હિન્‍દુઓના શરીર અને આત્‍માને શુદ્ધ રાખવાની પદ્ધતિ દુનિયાના લોકોને પ્રભાવિત કર્યા છે.

વેપારી પ્રવાસન

  • ગુજરાતે આર્થિક વિકાસનું પોતાનું મોડલ વિકાસશીલ રાષ્‍ટ્રના ભાગ રૂપે રજૂ કર્યું છું. ગુજરાતે પોતાની સભ્યતા-ઉચ્ચ જનજીવન, આનંદ, વેપાર અને રમત-ગમતને વિશ્વ ફલક પર મૂકેલ છે. ગુજરાતીઓ ઉચ્‍ચ જીવનશૈલી સાથે સારી ગુણાત્‍મક જીવનનો આનંદ લે છે. ગુજરાત પશ્ચિમનું માન્‍ચેસ્‍ટર કે ડેનિમ શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની કુલ ઔદ્યોગિક બનાવટોમાંથી ટેક્ષ્‍ટાઇલ ઉધોગમાંથી ૬ % હિસ્સો આવે છે. તે કૉટનનો મોટો ઉત્‍પાદક (૩૫ % ) અને નિકાસ કરનાર (૬૦ %) છે. તે દુનિયાનું ત્રીજા નંબરનું ડેનિમ ઉત્‍પાદક છે. જે ભારતની ૧૨ % ટેક્ષ્‍ટાઇલ્‍સ નિકાસ કરે છે.
  • ગુજરાત સૌથી ઝડપી રસાયણિક ઉત્પાદનનોનો વિકાસ કરનાર અર્થતંત્ર ધરાવતું રાજ્ય છે. યોગ્‍ય રીતે ચકાસણી કર્યા બાદ તેની પાસે સુયોજિત રસાયણ ઉત્‍પાદન માટેનો ઔદ્યોગિક ઢાંચો છે જેમાં પેટ્રોકેમિકલ્‍સ અને તેની આડપેદાશો, ડાઇઝ અને તેના આનુષાંગિક ઉત્‍પાદન થાય છે. ગુજરાત ફાર્માસ્‍યુટિકલ ઉધોગ માટેનું હબ બન્‍યું છે. આ ક્ષેત્રે સૌથી વધુ વિકાસ અને હરિફાઇની દ્રષ્‍ટિએ ગુજરાત વિકસીત છે. અંદાજે ૩૨૪૫ બનાવટના લાયસન્‍સ ધરાવે છે અને ભારતના ફાર્માસ્‍યુટિકલ ટર્નઓવરનો કુલ ૪૨ % હિસ્‍સો છે અને તેના રર % નિકાસ ભારત કરે છે.
  • ૬૦ થી વધુ ઉધોગગૃહો – રોકાણકારો વાઇબ્રન્‍ટ ગુજરાત દરમિયાન મળ્યા, ગુજરાત રોકાણકારો માટે એક સ્‍વર્ગ બન્‍યું છે.
  • ઔદ્યોગિક પ્રવાસનને લીધે અતિથિ ઉધોગમાં વધારો થયો છે. તેણે અનુકરણીય ઉદાહરણ પુરૂં પાડ્યું છે. તેના પરિણામરુપ રોકાણકારો અને વિકાસશીલ દેશોને ગુજરાત પર નજર રાખવા માટે પ્રોત્‍સાહિત કરેલ છે.

 સ્તોત્ર – ગુજરાતઈન્ડીયા.કોમ

શા માટે ગુજરાત!


શા માટે ગુજરાત

 

રાજ્ય કે જ્યાં

 

જો તમને ઉચ્‍ચ જીવન જીવવાની ઉત્‍કંઠતા હોય,
જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઇચ્‍છતા હોવ,
જો તમારૂં ધ્‍યેયવસુધૈવ કુટુંમ્‍બકમ્હોય તો “,
ગુજરાત તમારા માટે જ છે. 

  1.  વ્‍યૂહાત્‍મક સ્‍થ્‍ળ – દેશના પશ્ચિમી દરિયાકાંઠાથી જોડાયેલું ગુજરાત રાજ્ય જમીની સરહદોથી ઉત્તર તેમજ મધ્‍યમાં ભારતના રાજ્યો સાથે જોડાયેલું
  2. પરિવર્તનનો જયઘોષ – ગુજરાત રાજ્યના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના વડપણ હેઠળ રાજ્યમાં પરિવર્તનનું રણશિંગુ ફુંકાયું છે. જેઓ માને છે ગુજરાતને એક ભવિષ્‍ય છે. સ્‍વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્‍ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે.
  3. ગોરવવંતો માર્ગ આગળ :  – ગુજરાત ઉત્‍કૃષ્‍ઠતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના ઉચ્‍ચ શિખરો સર કરી રહ્યું છે. સામાન્‍ય માનવીના જીવનધોરણમાં બદલાવ આવી રહ્યો છે
  4.  જન શક્તિ – શિક્ષણ, આરોગ્‍ય ઉપરાંત અન્‍ય ક્ષેત્રોમાં પ્રજાની શક્તિનો ક્રિયાત્‍મક સહયોગ મેળવવાનો દ્રષ્‍ટિકોણ.
  • વિકાસકીય કામોમાં પ્રજાને જોતરવી.
  • વિકાસ કોમી એખલાસતા અને વિવાદોના નિરાકરણ માટે ગ્રામ-સભાનુ આયોજનમાં અસરકારક કામગીરી .
  • પંચાયત રાજ સંસ્‍થાઓમાં હરિફાઇ મુકત સર્વ સંમતી પૂર્ણ ચૂંટણીનું આયોજન .
  • મહેસુલ નોંધો અને ગામની પંચાયતના તમામ કામકાજો માં કોમ્‍પ્‍યૂટર પ્રણાલીનો ઉપયોગ .
  • પ્રચલિત તહેવારોમાં પ્રજાકીય શકિત યોગદાન દ્વારા ઉજવણી.
  • પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન મહિલાઓ સ્‍વયંભૂ રીતે સંગઠીત થઇ કરે તથા અન્‍ય પ્રશ્નોનું નારી-અદાલત દ્વારા નિવારણ.
  • શિક્ષણની માળખાકીય સુવિધા પર ખાસ ધ્‍યાન કેન્‍દ્રિત કરી શિક્ષકોની તાલીમ અને રાજ્યની તમામ શાળાઓમાં કમ્‍પ્‍યુટર પ્રણાલીનો ઉપયોગ.
  • સ તત બદલાતી તકનિકી પ્રણાલીઓને ધ્‍યાનમાં રાખી સમયની માંગ મુજબ નવા અભ્‍યાસક્રમોની રજૂઆત.
  • બાળકોની શાળામાં ભરતી અને વધુમાં વધુ સ્‍તરે તેના ઘડતર માટે ખાસ ધ્‍યાન.
  • છોકરીઓના શિક્ષણ પ્રત્‍યે ખાસ ધ્‍યાન.
  • ગ્રામ્‍ય સ્‍તરે વૈશ્વિક જ્ઞાન મળી રહે તે ઉદ્દેશ્‍યથી ચાલુ કરાયેલું અભિયાન.
  • છોકરીઓના શિક્ષણ માટે અલાયદુ નાણા ભંડોળ અને વિદ્યાર્થીઓ માટે જીવન વીમા કવચની યોજના.
  • છોકરીઓના શિક્ષણ માટે દાનમાં મળેલી ચીજવસ્‍તુઓ જેનું અંદાજીત મૂલ્‍ય રૂ. ૩ કરોડથી વધુ.
  • રાજ્યમાં ૧૧ નવી યુનિવર્સિટીનું નિર્માણ, ૪૦૦ નવી કોલેજની શરૂઆત, ૧.૨૫ લાખ શિક્ષકોની ભરતી અને ૩૮,૦૦૦ જેટલા નવા વર્ગખંડોના નિર્માણ સાથે ટેકનિકલ શિક્ષણમાં વિદ્યાર્થીઓની બેઠક સંખ્‍યા વધારી બમણી કરાઇ.
  • પ્રાથમિક કક્ષાએ શાળા છોડી જનારા બાળકોની સંખ્‍યામાં અસરકારક ઘટાડો.
  • યુવાનો અંગ્રેજી શિક્ષણમાં રસ લેતા થાય તેવું અભિયાન.
  1. જ્ઞાન શક્તિ – જ્ઞાન એ શક્તિ છે, ગુજરાતમાં બહુવિધ શ્રેષ્‍ઠતા અને સ્‍થાપિત પ્રણાલિઓમાં સકારાત્‍મક ફેરફારો સાથે કૂનેહ અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનનો વિકાસ અહીં ધ્‍યેય સિદ્ધિ માટે
  1. ઊર્જા શક્તિ – ગુજરાતે વીજ-વ્યવસ્‍થાપન માટે સમય માળખું ઊભું કર્યું છે. બ્રોડબેન્‍ડ જોડાણ અને ગ્રામીણ વિકાસ માટે અવિરત વીજ પુરવઠો ઉપલબ્‍ધ બનાવ્‍યો
  • ખોટ ખાતું રાજ્ય સરકારનું ઇલેકટ્રીસિટી બોર્ડનું વ્‍યવસાયીક ધોરણે સંચાલીત કરી નફો રળતું બનાવાયું.
  • નિયત વીજ ભારમાં વધારો.
  • તેલ અને કુદરતી વાયુમાં સંશોધન માટે મોટા પાયે ખેડાયેલા સાહસો.
  • સમગ્ર રાજ્યમાં કુદરતી વાયુ વહન માટે ૨૨૦૦ કિ.મી. લાંબા માળખાને સ્‍થાપિત કરાયું.
  • તેલ અને કુદરતી વાયુનો ગંજાવર જથ્‍થો ગુજરાત ભારત તેમજ વિદેશોમાં આરક્ષિત બનાવાયો.
  • તમામ ગામડાઓમાં આમ આદમીની જરૂરીયાત માટે વીજળીની ઉપલબ્‍ધી.
  • સમગ્ર દેશમાં સૌથી મોટી પ્રવાહી કુદરતી વાયુ તથા ગઠીત કુદરતી વાયુની માળખાકીય સુવિધા.
  • કુદરતી વાયુ આધારીત આર્થિક વ્‍યવસ્‍થાપન.
  • દેશની ઇંધણ-રાજધાની તરીકે ગુજરાત ઊભરી રહ્યું છે.
  1. જળ શક્તિ – કુદરતી જળ સંસાધનો દ્વારા વરસાદી જળસ્‍ત્રોત પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી વૈજ્ઞાનિક ઢબે જળ વ્‍યવસ્‍થાપન
  • ભૂમિગત જળ ભંડાર અને વરસાદી પાણીના વ્‍યવસ્‍થાપનમાં વિજ્ઞાની અભિગમ
  • એદ્યતન સિંચાઇ તકનિકીનો અમલ
  • રાજ્યની મુખ્‍ય નહેરો સાથે તમામ ગામડાઓનું જોડાણ
  • રાજ્યની ૨૧ જેટલી નદીઓનું જોડાણ
  • સરદાર સરોવર પરિયોજના બંધથી અંદાજે ૫૦૦ કિ.મી. સુધી પાણી અને વીજળીના લાભો પહોંચાડવામાં પૂર્ણતાના આરે….
  • જળ સંચય માટે રાજ્યમાં ખેત-તલાવડીઓ અને ચેક ડેમો અંદાજે ૨.૨૫ લાખ જેટલી બનાવી.
  1. રક્ષા શક્તિ – નાગરિકો માટે સલામતી ઉપરાંત વ્‍યક્તિગત, સામાજીક, આર્થિક સલામતી માટે લક્ષ.
  • કુદરતી અને માનવ સર્જિત આફતોની અસર ઓછી થાય તેનો વિકાસ કરવો.
  • ગુજરાતને પોલિયો મુક્ત કરવું, રક્તપિત મુક્ત કરવું, એચ.આઇ.વી./એઇડ્સ ના દર્દીઓની સંખ્‍યા ઓછી કરવી.
  • નવી યોજના દ્વારા બાળકો અને માતાઓની મૃત્‍યુનો દર ઘટાડવો.
  • ભૂકંપશાસ્‍ત્ર વિષે સંશોધક વિદ્યાલય બનાવવું.

સૌજન્ય – ગુજરાતઈન્ડીયા.કોમ

જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે…


જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું

જાણો, પિન-કોડ કેવી રીતે બતાવે છે તમારી શેરી અને ઘરનું આખું સરનામું આજકાલા ચિઠ્ઠીની ફેશન રહી નથી. લોકો આજકાલ ઇ-મેલ પર વધુ વિશ્વાસ કરે છે. પરંતુ તેમ છતાંય કોણ શેરીમાંથી પોસ્ટમેન નીકળે છે. તો મનમાં એક ઉમંગ રહે છે કે કાશ આપણા ઘરે પણ કોઇ ચિઠ્ઠી આવે. તમારા વિસ્તારનો પિન કોડ તો તમને યાદ હશે જ. દરેક લોકોને પિનકોડ મોઢે યાદ હોય છે. કોઇ ચિઠ્ઠી મોકલવી હોય, કુરિયર હોય કે મની ઓર્ડર પિન કોડની જરૂર તો બધાને પડે છે.

પરંતુ શું તમને ખબર છે કે પિન કોડનો અર્થ શો થાય છે..? પિન કોડ તો ખૂબ જ અગત્યનો હોય છે. તેની મદદથી તમે તમારા વિસ્તારી પૂરી માહિતી સરળતાથી મેળવી શકો છો. જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો. પિન કોડનો જન્મ 15મી ઑગસ્ટ 1972માં થયો હતો. પિન કોડનો મતલબ થાય છે પોસ્ટલ ઇંડેક્સ નંબર. આજકાલ પિનકોડનું અસ્તિત્વ ગુમાવી રહ્યા છે.

અત્યારે ઇ-મેલ દ્વારા જ્યારે ચિઠ્ઠીઓ મોકલવામાં આવી રહી છે ત્યારે પિન કોડ આખરે કોણ પ્રયોગ કરે. કુરિયર સર્વિસીસે જ્યારથી પિન કોડનો પ્રયોગ શરૂ કર્યો છે ત્યારથી પિન કોડ ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવામાં લાગી ગયો છે. પિન કોડ એક ખૂબ જ ખાસ નંબર હોય છે તેના પર આખી પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. 6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે. તેનો દરેક નંબર કોઇ ખાસ એરિયાની માહિતી આપે છે. આ માહિતીની મદદથી પોસ્ટ ઓફિસના લોકો સાચી જગ્યાએ પેકેટને ડિલિવર કરે છે. આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક રિન કોડ કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે. જો તમારા પિન કોડનો પહેલો નંબર 1 હોય તો તેનો મલબ છે તમે દિલ્હી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ કે જમ્મુ-કાશ્મીરના કોઇ રાજ્યમાંથી છોય જો આ નંબર 2 હોય તો તમે ઉત્તરપ્રદેશ કે ઉતરાંચલથી છો. આ જ રીતે જો પિન કોડનો પહેલો નંબર 3 હોય તો તમે વેસ્ટર્ન ઝોન કે રાજસ્થાન કે ગુજરાત સાથે સંબંધ ધરાવો છો. 4નંબરથી શરૂ થનાર પિનકોડ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છતીસગઢનો કોડ હોય છે. આ જ રીતે 5થી શરૂ થનાર કોડ આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હોય છે. જો તમારો પિન કોડ 6 થીશરૂ થઇ રહ્યો છે તો કેરલા કે તામિલનાડુના રહેવાસી છો. જો હવે તમારા પિન કોડનો પહેલો નંબર 7 છે તો તમે ઇસ્ટર્ન ઝોનમાં છો. અહીં તમે બંગાળ, ઓરિસ્સા, અને નોર્થ ઇસ્ટર્ન વિસ્તારમાં છો. જો તમારા પિન કોડનો પહેલો નંબર 8 છે તો એ વાતનો સંકેત આપે છે કે બિહાર કે ઝારખંડમાં રહો છો. જો તમારો પિનકોડ નંબર 9 થી શરૂ થતો હોય તો તે એ વાતની સાક્ષી પૂરે છે કે તમે ફંકશનલ ઝોનમાં રહો છો. આ હોય છે આર્મી પોસ્ટલ સર્વિસીસ માટે.હવે આ તો થઇ પહેલાં નંબરની વાત. હવે આપણી વાત કરીશું પિન કોડના શરૂઆતના બે નંબર અંગે. 11 નંબર દિલ્હીનો હોય છે. 12-13 હરિયાણા, 14-16 પંજાબ, 17 હિમાચલ પ્રદેશ, 18 અને 19 જમ્મુ-કાશ્મીર, 20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, 30-34 રાજસ્થાન, 36-39 ગુજરાત, 40-44 મહારાષ્ટ્ર, 45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 50-53 આંધ્રપ્રદેશ, 56-59 કર્ણાટક, 60-64 તામિલનાડુ, 67-69 કેરલા, 70-74 બંગાલ, 75-77 ઓરિસ્સા, 78 આસામ, 79 નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર, 80-85 બિહાર અને ઝારખંડ, 90-99 આર્મી પોસ્ટલ સર્વિસીસ.પિન કોડના આગળના 3 ડિજીટ એ વિસ્તારની માહિતી આપે છે જ્યાં તેમના પેકેટ પહોંચાડવાના છે. તેનો અર્થ છે આ વિસ્તારમાં જ્યાં તમારું પેકેટ જશે. એક વખત તમારા પેકેટ સાચી ઑફિસ સુધી પહોંચી ગયા તો ત્યાંથી તે તમારા ઘર સુધી પહોંચી જાય છે. હવે તમે સમજ્યા પિનકોડ કેટલો અગત્યનો છે.

 

સ્તોત્ર – http://djgadhavi.blogspot.in/2013/06/blog-post_1862.html